ઊંઝા શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવામાં આવતા ઉજવણી કરાઈ

મહેસાણા
મહેસાણા

મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંભળાવામાં આવેલી બે વર્ષની સજા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપતા ઊંઝા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊંઝા ગાંધી ચોકમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળ્યો છે. જેને લઈને કાર્યક્રમમાં ઊંઝા તાલુકા પ્રમુખ જી.પી.ઝાલા, માઇનોરેટી સેલના મિસરી ખાન પઠાણ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ડી.ટી.ઝાલા, તાલુકા સદસ્ય, ઠાકોર સમાજના પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.કોંગ્રેસ નેતા રાહુલગાંધીને સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં સજા પર રોક લગાવી દીધી છે. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલને અપરાધિક માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી લોકસભાની સદસ્યતા પરત મેળવવા માટે અપીલ કરી શકે છે. જો રાહુલની સજાને લોકસભા ચૂંટણી સુધી રોકી દેવામાં આવે તો તેઓ ચૂંટણી પણ લડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.