વિસનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો

મહેસાણા
મહેસાણા

કોંગ્રેસ પાર્ટી તેના 139માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે વિસનગરમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા 139માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. સ્થાપના દિવસની ઉજવણીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના જૂજ કાર્યકરો જ હાજર રહ્યા હતા.


કોંગ્રેસ પાર્ટીના 139માં સ્થાપના દિવસ પર આજે વિસનગર ખાતે ત્રણ દરવાજા ટાવર ચોકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદ સહિતના નારા લગાવ્યા હતા અને ટાવર ચોક ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો. જેમાં સેવાદળના પણ 100 વર્ષ થતા કાર્યકરોએ ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ હોવા છતાં પણ વિસનગર શહેર અને તાલુકાના કેટલાક કાર્યકરો જોવા મળ્યા ન હતા. જેમાં કોંગ્રેસના જૂજ કાર્યકર્તાઓએ હાજર રહી ઉજવણી કરી હતી. કોંગ્રેસના સ્થાપના દિવસે પણ ચૂંટણી ટાઇમ પર ફરતા કાર્યકરો જોવા ન મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરોએ પાર્ટીનો ધ્વજ લહેરાવી ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી.આ કાર્યકમમાં વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ, બાબુલાલ વાસણવાળા, મહેશભાઈ રાઠોડ, અમૃતજી ઝાલા, અશોકસિંહ વાઘેલા, ગોવિંદભાઈ પટેલ તલાટી, હેમુભાઇ રબારી, મનુજી ઠાકોર, નરેશભાઈ નાગર, વિષ્ણુભાઈ દવે, બીપીનચંદૃ રાઠોડ, શીવુભા, મુસ્તાકભાઈ બહેલીમ, કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.