![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/RWRWRW-1.png)
મહેસાણામાં નર્મદેશ્વર મહાદેવ મંદિરના બંધ દરવાજા ખોલવા અંગે કોંગ્રેસનો વિરોધ
રખેવાળ ન્યુઝ મહેસાણા
મહેસાણા જિલ્લામાં ભાજપ કમલમ કાર્યાલયની સામે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર લોકડાઉનના કારણે ઘણા સમયથી બંધ કરાયું છે. તેથી છેલ્લા પાંચથી વધુ માસથી આ મંદિરને તાળા મારી દેવામાં આવ્યા છે. આ મંદિર ખોલવા સામે કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો દ્ધારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. છતા કોઈ નિર્ણય ન આવતાં કોંગ્રેસના કાર્યકરોએ નર્મેદેશ્વર મહાદેવ મંદિર આગળ પ્રતિક ઉપવાસ પર બેસતા પોલીસે તેમની અટકાયત કરી હતી.મહેસાણાના ભાજપ કમલમ કાર્યાલયની સામે નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
પ્રસિધ્ધ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોવા છતાં છેલ્લા પાંચ થી વધુ મહિનાથી બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે. આથી આ મંદિરના બંધ દરવાજા ખોલવા બાબતે મહેસાણા પાલિકાના સત્તાધીશો દ્ધારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ મંદિરને તાળા હોવાથી મહિલાઓ પૂજા કરવા દિવાલ કુદીને જાય છે. તેથી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સહિત છ થી વધુ કોંગ્રસના કાર્યકરોએ નર્મદેશ્વર મહાદેવ મંદિર બહાર આજે સવારે પ્રતિક ઉપવાસ પર બેઠા હતાં.તેથી મહેસાણા શહેર પોલીસે પૂર્વ કોંગી શહેર પ્રમુખ સાથે છ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.