જોટાણામાં ભેલાણ કરી 80 હજારનું નુકસાન પહોંચાડવા મામલે ચાર પશુપાલકો સામે ફરિયાદ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના જોટાણા ગામની સીમમાં કપાસના વાવેતર કરેલા ખેતરમાં આશરે 300 જેટલી ગાયો ખેતરમાં આવી ચડી ને કપાસના ઉભા તૈયાર પાકમાં ફરી વળી જતી જેના કારણે ગાયો આશરે 80,000 નો કપાસ ને નુકસાન કરતા પશુપાલકો સામે ખેડૂતે નુકસાન અંગે ફરિયાદ નોંધાવી હતી. જોટાણાના અવધપુરી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પટેલ પોતાના ગામની સીમમાં આવેલા અમદાવાદીયા આંટામાં 25 વિઘા જમીન ધરાવે છે જેઓ ચાલુ સિઝન દરમિયાન કપાસ અને એરંડા નું વાવેતર કર્યું હતું ત્યારે ફરિયાદી અને તેમનો દીકરો બને સવારે પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા જ્યાં વે વિઘા કપાસ નું વાવેતર કરેલા ખેતરમાં ગામના જ ચાર પશુપાલકો પોતાની આશરે 300 જેટલી ગાયો ખેતરમાં ઘુસાડી ને કપાસના વાવેતર ખાવા અને કપાસ ખુદવા ઇરાદે ગાયો ઘુસાડી દીધી હતી.


સમગ્ર ઘટના જોઈ ફરિયાદી પશુપાલકો પાસે જઈને ગાયો ખેતરમાંથી કાઢી મુકવા કહેતા ગામના જ ચાર પશુપાલકો ફરિયાદી મહિલા સાથે ગાળાગાળી કરી મારવા દોડી આવ્યા હતા. બાદમાં મહિલા એકલી પડતા પોતાના પતિને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેઓના પતિ ખેતરમાં આવી તપાસ કરતા ગાયોએ આશરે 80,000 રૂપિયાના કપાસના પાક ને નુકસાન કર્યું હોવાની ધ્યાને આવ્યું હતું.ફરિયાદીના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ ગામમાં રહેતા કનુભાઈ નાગજી ભાઈ રબારી,રાજુભાઇ નાગજી ભાઈ રબારી,બાબુભાઇ મફભાઈ રબારી,ગાભુભાઈ મફભાઈ રબારી એ અગાઉ પણ અમારા ખેતરમાં ગાયો લાવી ભેલણ કરાવી નુકસાન કર્યું હતું અને તેનો વિરોધ કરતા અમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.સમગ્ર કેસમાં સાંથલ પોલીસમાં ચાર પશુપાલકો સામે ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.