કેન્દ્ર સરકાર દ્રારા આગામી સમયમાં મહેસાણા જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરાશે

મહેસાણા
મહેસાણા

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત મહેસાણા જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારના જુદા-જુદા ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023 હાથ ધરવામાં આવશે.જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને નિયામક એચ એમ ચાવડા ની આગેવાની હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ 2023 ના સર્વેની કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-2 યોજના અંતર્ગત સરકાર દ્રારા નક્કી કરવામાં આવેલ મહેસાણા જીલ્લાના જુદા-જુદા ગામોમાં સ્વચ્છતા અંગે સર્વે હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરવામાં આવેલ ટીમ દ્રારા આગામી સમયમાં મહેસાણા જીલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. આ સર્વેક્ષણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી,આરોગ્ય-કેન્દ્ર,શાળા,ગ્રામ પંચાયત કચેરી અને જાહેર સ્થળોએ ટીમ દ્રારા મુલાકાત લઇ સર્વેની કામગીરી કરવામાં આવશે.

ઘન કચરાનું વ્યવસ્થાપન ,ગ્રેવોટરનું વ્યવસ્થાપન, મળકાદવનું વ્યવસ્થાપન, સેનિટેશન અંગે જાગૃતિ, ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવી તેમજ સંપૂર્ણ સ્વચ્છતા માટેના આ આંદોલનમાં જોડાવ અને તમારા ગામને ઓ.ડી.એફ પ્લસ મોડલ ગામ બનાવવા માટે ગ્રામ જનોએ પોતાનું આંગણુ-શેરી સ્વચ્છ રાખવા તેમજ કેન્દ્રસરકારની સ્વચ્છતાની ટીમને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-2023 હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે ભારત સરકાર દ્રારા નિયત કરવામાં આવેલ ટીમ દ્રારા તા 15 જૂલાઇ થી તા.25 ઓગસ્ટ દરમ્યાન ગ્રામ્યકક્ષાએ ફિલ્ડ વેરિફિકેશન કરી સર્વેની કામગીરી કરવામાં આવશે. ગ્રામ્યકક્ષાએ પંચાયત, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, શાળા અને જાહેર સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી શૌચાલય અને સ્વચ્છતા અંગે નિરિક્ષણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.