ઊંઝા તાલુકાના કંથરાવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયાં

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના કંથરાવી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી. ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મહેસાણા જિલ્લાના કંથરાવી ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા. 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, ઉજ્વલા યોજના, એન.એફ.એસ.સી. યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સહિતની યોજનાઓ વડે દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. લોકોનું જીવન સુખમય બને લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે આજે સરકાર નાગરિકોના આંગણે પહોંચી છે. લાભાર્થીઓને વિવિધ યોજનાકિય લાભો પહોંચાડી રહી છે. નાગરિકો પણ જાગૃત બની સરકારને સહયોગ કરે તો સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


વધુમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડબલ એન્જીન સરકારને હવે જનતા પહેલા ગીયરમાંથી સીધા ટોપ ગીયરમાં લઈ જાય એવી પણ વાત કરી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઊંઝા વિધાનસભા ધારાસભ્ય.કે.કે પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ, ઊંઝા તાલુકા વિકાસ અધિકારી, મહેસાણા જિલ્લા આરોગ્ય વિકાસ અધિકારી, ઊંઝા મામલતદાર, મહેસાણા જિલ્લા પ્રાંત અધિકારી, મહેસાણા જિલ્લા સદસ્ય તેમજ હરેશ ચૌધરી ભારત સંકલ્પ યાત્રા ઉત્તર ગુજરાત ઇન્ચાર્જ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.