ઊંઝામાં માસિયા મહાદેવના મંદિરનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં એક પૌરાણિક માશિયા મહાદેવનું મંદિર આવેલું છે. જે મહાદેવનું મંદિર ગધેસિંહજી રાજા વખતે બનાવેલું હતું. માશિયા મહાદેવનું મંદિર એટલે કે કોઈપણ વ્યક્તિને સફેદ કોડ નીકળ્યા હોય કે ચામડીનો કોઈ રોગ હોય અને હિંદુ ધર્મમાં માનવામાં આવતી બાધા અહીં રાખવામાં આવે તો એ સંપૂર્ણપણે મટી જાય છે અને અહીં બાધા સ્વરૂપે ગોળ ચડાવવામાં આવે છે. જે મંદિરનું આજરોજ ઉંઝાના માશિયા મહાદેવના નવનિર્માણથી ગામલોકો ખૂબ ખુશ થયાં છે.

આજરોજ ઊંઝા તાલુકાના માશિયા મહાદેવના મંદિરનું નવું નિર્માણ કરવાનું હોવાથી ગામ લોકોએ ભેગા થઈને આ મંદિરનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગામલોકોએ ભેગા થઈ નવું મંદિર બનાવવા માટે સાથ સહકાર આપ્યો હતો. નવું મંદિર બનશે એની ઊંચાઈ 51 ફૂટ રાખવામાં આવી છે. માશિયા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે લોકો દુર-દુરથી આવે છે અને પોતાની મનોકામનાઓ પુર્ણ થાય એટલે બાધા સ્વરૂપે ગોળ ચડાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.