વિસનગરની આદર્શ વિદ્યાલય ખાતે નાના બાળકો મોબાઈલથી દુર થઇ મેદાન તરફ આવે તે માટે આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છાત્ર શક્તિ વંદના કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર તાલુકાની 45 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યકમ થકી નાના બાળકો મોબાઈલથી દૂર થઇ મેદાનની રમતો તરફ પ્રેરાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોની સાથે સાથે કાર્યકમોનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અત્યારના આ મોબાઈલ યુગમાં નાના બાળકો મેદાનમાં થતી રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે ભૂલવા લાગ્યા છે અને બાળકો હંમેશા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. જેમાં નાના બાળકો મોબાઈલથી દૂર થાય અને મેદાનની રમતો તરફ પ્રેરાય તેમજ મેદાનની રમતોમાં ખેલભાવના જાગે તે માટે અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે છાત્ર શક્તિ વંદના કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં લોકગીત, લોકવાર્તા, એકપાત્રીય અભિનય, છંદ-ચોપાઈ- શ્લોક ગાન તથા રમત-ગમતમાં લંગડી દોડ, 100મી દોડ, ગોળાફેંક, ઊંચીકૂદ, લાંબીકૂદ સહિત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસનગર તાલુકાની 45 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યકમમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેમજ રમતોમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને બહાર લાવવા માટે આયોજન કરાયું હતું.આ કાર્યકમમાં કેળવણી મંડળના પ્રમુખ કે.કે.ચૌધરી, મંત્રી વી.વી.ચૌધરી તથા જે.ડી.ચૌધરી, અન્ય હોદ્દેદાર ખુમજીભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી વગેરે તથા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો તથા તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.