ઊંઝા તાલુકાના મહેરવાડા પ્રાથમિક શાળાના વિદ્યાથીઓ માટે શૈક્ષિણક પ્રવાસ યોજાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના મહેરવાડા પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો હતો. ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલી અનુપમ પ્રાથમિક શાળા દ્વારા શાળાના આચાર્યે હેમાંગભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મધ્ય ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માહિતગાર બન્યા હતા.


સરદાર સરોવર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોઈચા, પાવાગઢ ટુવા ટિંબા ડાકોર થઈ પરત ફર્યાં હતા. આ પ્રવાસના આયોજનથી ધાર્મિક સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભૌગોલિક માહીતી મેળવી હતી. આ પ્રવાસમાં શાળાના શિક્ષકો સુનિલભાઈ, કામિનીબેન, લતાબેન સહિતનાં શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા તાલુકાના મહેરવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધાર્મિક સ્થળો ઉપરાંત જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને ખુબ પ્રફુલ્લિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.