વડનગર પંથકમાં આઘેડની મળેલી લાશનો ભેદ ઉકેલાયો,અપહરણ બાદ નાણાં ન મળતાં માર માર્યો અંતે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગત દિવસોએ વડનગર પંથકમાં મળેલ આધેડની લાશના કેસમાં એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી ૩ ઇસમોને ઝડપી પુછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં આ ત્રણેયએ ભેગા મળી ગત દિવસોએ આધેડનું કારમાં અપહરણ કરી ૧૦ લાખની માંગણી કરી હતી. જોકે આધેડે પૈસા નહીં આપતાં આખી રાત ગાડીમાં ફેરવી ગડદાપાટું અને મુઢ માર મારતાં આધેડનું મોત થયાનું કબૂલ્યુ હતુ. જે બાદ આધેડની લાશને ગામની સીમમાં ફેંકી આરોપીઓ ફરાર હતા.

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે વડનગર નજીકથી મળેલ લાશ મામલે તપાસ કરી આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી. જે અનુસંધાને એલસીબીના પી. આઈ. બી.એચ.રાઠોડે અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન મહેસાણા એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે રામપુરા ચોકડીથી પાલાવાસણા સર્કલ વચ્ચેના રસ્તે આવેલ રેલ્વે બ્રિજના છેડે સરકારી તેમજ ખાનગી વાહનમાં ટીમે વોચ ગોઠવી હતી. જે બાદમાં બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતાં નાકાબંધી કરી આરોપી પકડી પાડ્યા હતા. પોલીસે સી.આર.પી.સી.ની કલમ મુજબ અટકાયત કરી પુછપરછ કરતાં તેમણે વડનગર સાથે અન્ય ગુનોઓની પણ કબુલાત કરી હતી.

ગત રોજ વડનગર નજીક વલાસણાની સીમમાં રોડ ઉપરથી લાડોલના પટેલ મણીલાલ અંબાલાલની લાશ મળી આવી હતી. જે બાદમાં વડનગર પોલીસ સ્ટેશને આઇપીસીની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. જોકે સમગ્ર મામલે જીલ્લા પોલીસવડાએ એલસીબીને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે આરોપીઓ શોધવા સુચન કર્યુ હતુ. જેમાં લાંઘણજ પોલીસ સ્ટેશનનો મર્ડરનો આરોપી સંદીપ સુરેશભાઇ પટેલ પેરોલ ફરાર અને યોગેશ રાવળ અને સંજય રાવળ આ ત્રણેય મળીને હત્યા કરી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે નાકાબંધી કરી ત્રણેયને દબોચી પુછપરછ કરતાં તેમણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.