વાયરલ ચાંદીપૂરા રોગ અટકાયતીના ભાગરૂપે મહેસાણા જિલ્લાની ૪૭૭ આરોગ્ય ટીમ દ્વારા કુલ ૧,૫૪,૭૮૬ ઘરોનો સર્વે કરાયો
તમામ કાચા ઘરો, માટીના લીંપણ વાળા ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન હાથ ધરાયું: મહેસાણા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ ચાંદીપૂરા રોગ અન્વયે અટકાયતીના ભાગરૂપે વિજાપુર, જોટાણા, ખેરાલુ, વિસનગર આ ચાર તાલુકામાં ૪૭૭ આરોગ્ય ટીમ દ્વારા કુલ ૧,૫૪,૭૮૬ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમ્યાન ચાર તાલુકાના ૨૪૩ ગામોને આવરી લેવાયા હતા. જેમાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ૧૭,૧૯૫ ઘરો જોવા મળેલ. જેમાં ૫ માટીના લીપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરેલ સાથે સાથે આવા ૧૬૫૭૮ મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
વધુમાં ચાર તાલુકાઓમાં સઘન સર્વિલન્સ અને ડસ્ટીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ કે જ્યાં શંકાસ્પદ કેસ નથી મળ્યા એ તાલુકાઓમાં પણ ડસ્ટીંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે. આગામી ૨ દિવસમાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત, ગામ પંચાયત સાથે સંકલન કરીને વિસ્તારમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે. તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આરોગ્ય તંત્ર દ્વારા દવાઓનો સ્ટોકની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ પીવા લાયક પાણીમાં ક્લોરીનેશન માટેની તથા મચ્છર ઉત્પતિ સ્થાનો ની પણ તપાસણી કરવામાં આવી રહી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં નોટિસ પણ આપવામાં આવે છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જ્યાં કેસ મળે ત્યાં એન્ટોલોજીકલ ટીમ દ્વારા કોઈ વેકટર હોય તો તેને પણ શોધી કાઢવા પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે સર્વે દરમ્યાન ૪૫૩૨૪ ઘરોની ધાર પર મેલીથીયોન નો છંટકાવ કરવામાં આવેલ છે.
Tags CHANDIPURA health team mehsana