મહેસાણામાં ઉત્તરાયણના દિવસ દરમિયાન પશુ પક્ષીઓને સારવાર અપાઈ

મહેસાણા
મહેસાણા

ઉતરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે દોરીના કારણે પશુ પક્ષીઓને ઇજા થતી હોય છે જેમાં જિલ્લામાં આજે અનેક પશુ પક્ષીઓ ઘવાયા હોવાની વિગતો સામે આવી છે.

મહેસાણાના જીવદયા પ્રેમીઓ આ અભિયાનમાં જોડાઈને ઘાયલ પશુ-પક્ષીઓને રેસ્કયૂ કરી તેમની સારવાર કરવા તત્પર બન્યા હતા.આવા કોઇ પણ બનાવ માટે સંપર્ક કરી પશુ- પક્ષીનો જીવ બચાવવા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

મહેસાણા વન વિભાગ દ્વારા અને પશુ પાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે આ વખતે કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તરાયણના દિવસ દરમિયાન સાંજ સુધીમાં મહેસાણા જિલ્લામાં કુલ 148 પશુ પક્ષીઓને ઇજા થઇ હતી જેમાં 84 પક્ષીઓ કાતિલ દોરીના કારણે ઘવાયા હોવાની વિગતો પશુ પાલન વિભાગે જણાવી હતી.મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ઉતરાયણના પર્વ પર પશુઓ અને પક્ષીઓ દોરીથી તો ક્યાંક અન્ય કારણોસર ઘવાયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં,84 પક્ષીઓ દોરીના કારણે ગંભીર રીતે ઇજા પામ્યા હતા.મોટા ભાગે કબૂતર,કોયલ જેવા પક્ષીઓ ના રેસ્ક્યુ કરી સારવાર અપાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.