ગુજરાત હાઇકોર્ટેના નિવૃત ન્યાયધીશે દશેરાના દિવસે ખેરાલુ નજીક પોતાની બીજી શાખાનું ઉદ્ઘાટન કર્યું
નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાના દિવસે લોકો પોતાના ધંધા રોજગાર અને નવી શરૂઆત કરતા હોય છે.ત્યારે આ દિવસે ગુજરાત હાઈકોર્ટેના નિવૃત ન્યાયધીશ દ્વારા પોતાની બીજી શાખા ખેરાલુ નજીક આવેલ મછાવા ખાતે ખોલી તેનું દશેરાના દિવસે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગ દરમિયાન સામાજિક આગેવાનો,અને પરિવાર ના સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપવા પહોંચ્યા હતા.
મૂળ ખેરાલુ પંથકના અને ગુજરાત હાઈકોર્ટેના રિટાયર્ડ જજ રઘુવીર ગોદડ ભાઈ ચૌધરી જેઓ પોતાની એક શાખા અમદાવાદમાં ઇન્કમટેક્ષ પાસે દિનેશ હોલ સામે આવેલ કોર્પોરેટ હાઉસ માં એક શાખા ધરાવે છે.જોકે દશેરા ના દિવસે તેઓએ પોતાની બીજી બ્રાન્ચ ખેરાલુ તાલુકાના માછાવા બસ સ્ટોપ સામે બનાવી હતી જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન સમારોહમાં પરિવારના સભ્યો,કુટુંબી જનો,સામાજિક આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.ખેરાલુ ખાતે નવી બ્રાન્ચ શરૂ થવાને કારણે સ્થાનિક લોકોને હવે વકીલાત સંબંધિત માહિતી અને સલાહ સૂચનો પોતાના જ વિસ્તારમાં અને અનુભવી વ્યક્તિ પાસેથી જાણવા મળશે જેથી આ બ્રાન્ચ શનિવાર,રવિવાર,અને સોમવારે ના દિવસે ચાલુ રહેશે.