ઊંઝા ગંજના વેપારી સાથે રાજસ્થાની વેપારીએ રૂ.14.96 લાખની ઠગાઈ કરી
ઊંઝા નવા ગંજબજારમાં જીરાનો વેપાર કરતાં વેપારીએ રાજસ્થાનની કંપનીને જીરાના માલની ખરીદી પેટે એડવાન્સ આપેલા રૂ.14.96 લાખ પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ મથકે નોંધાઈ છે. વિસનગર રોડ પરની જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ બચુભાઈ પટેલ નવાગંજ બજારમાં ઉમિયા સેલ્સ એગ્રો નામની પેઢી ધરાવે છે. રાજસ્થાનના જોધપુરની ભુતરા ઇન્ડસ્ટ્રીઝના માલિક દિલીપભાઈ દિનેશભાઈ ભુતરા સાથે પણ જીરાનો વેપાર કરતા હતા. ઊંઝાની એક પેઢીમાં ભાગીદાર એવા દિલીપભાઈ રાજસ્થાનથી જીરાનું સેમ્પલ લઈને આવતા હતા, જેને લઈ પ્રફુલભાઈ જોયા બાદ તે સેમ્પલની કિંમત નક્કી કરીને ખરીદતા હતા.