મહેસાણાના ખેરાલુમાં યોજાનારા કાર્યક્રમને લઈ પ્રભારી સચિવની હાજરીમાં બેઠક યોજવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખેરાલુ તાલુકાની 30 ઓક્ટોબરની મુલાકાતને લઇને પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીના અધ્યક્ષ સ્થાને ખેરાલુ ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં પ્રધાનમંત્રીની મુલાકાત પ્રસંગેની તૈયારીઓ,સ્થળ નીરીક્ષણ,વિવિધ કમિટીઓ રચના, સ્ટેજ વ્યવસ્થા,પાર્કિંગ વ્યવસ્થા,જનમેદની સહિતની માઇક્રો પ્લાનીંગ અંતર્ગત વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય સરદરભાઇ ચૌધરી,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પી એમ નરેન્દ્ર મોદી અને મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર આગામી 30 ઓક્ટોબર મહેસાણા જિલ્લાની મુલાકાતે આવનાર છે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજસે જગી સભા તેમજ સભા દરમિયાન વિવિધ વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત પી.એમ નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે જંગી સભા યોજી સંબોધન કરશે તેમજ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેકટ નું ખાતમુહૂર્ત કરશે તેમજ ધરોઈ ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે.જેના વિવિધ કાર્યો નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે તેમજ સાથે સાથે ખેરાલુ તાલુકાના વિકાસ કર્યો નું પણ ખાતમુહૂર્ત કરનાર છે.