![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-62.jpg)
વડનગરના ઊંઢાઈની પરિણીતાએ પતિના ત્રાસથી ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવી દીધું
પતિના ત્રાસથી કંટાળેલી વડનગરના ઊંઢાઈ ગામની પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવતાં ચકચાર મચી હતી. પોલીસે ત્રાસ આપનાર પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે રહેતા મથુરભાઈ કાંતિભાઈ દેવીપુજકની નાની દીકરી દક્ષાનાં લગ્ન છ વર્ષ પૂર્વે વડનગર તાલુકાના ઊંઢાઈ ગામે રહેતા સંપતભાઈ દેવીપુજકના પુત્ર પ્રકાશ સાથે થયા હતા.
લગ્ન થયાના થોડોક સમય સુધી જમાઈ પ્રકાશભાઈએ તેમની દીકરીને સારી રીતે રાખતા હતા, પરંતુ તેમના લગ્ન જીવન દરમિયાન પ્રથમ સંતાનનો જન્મ થતાં વ્યસન કરતા અને કોઈ કામધંધો ન કરતા જમાઈ પ્રકાશકુમારે દક્ષાને તું કમાવા જતી નથી અને ઘરે પૈસા નથી લાવતીનું કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.