મહેસાણા અને પાટણ જિલ્લાની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટ યોજાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં મહેસાણા અને પાટણના દિવ્યાંગોના પ્રશ્નોના નિવારણ અર્થે કલેકટર કચેરી ખાતે દિવ્યાંગોના કમિશ્નર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને મોબાઈલ કોર્ટ યોજાઈ હતી. હાલ દિવ્યાંગ અદાલતની કચેરી ગાંધીનગર ખાતે સ્થિત છે. ત્યારે મહેસાણા જિલ્લામાંથી દિવ્યાંગોએ ગાંધીનગર સુધી મુસાફરી કરવી પડે છે જયારે આજે યોજાયેલ આ મોબાઈલ કોર્ટ થકી 177 જેટલા વધુ કેસની સ્થળ પર જ સુનવણી થઈ હતી.દિવ્યાંગ કોર્ટમાં સુગમ્ય ભારત અંતર્ગત ફરીયાદો, દિવ્યાંગ પ્રમાણપત્રો,ધંધા રોજગારની જગ્યાઓ,રહેણાંક પ્લોટ અને મકાન સહિત વિવિધ યોજનાકીય લાભો અંગેના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.


કમિશ્નર ઓફ કોર્ટના વી.જે.રાજપૂતે જણાવ્યું હતું કે દિવ્યાંગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવે છે. જેનાથી તેઓએ તેમની રજૂઆત માટે અન્યત્ર જવુ પડતુ નથી.આ ઉપરાંત મોબાઇલ કોર્ટમાં ટુંકી મુદતમાં તેમના પ્રશ્નોનો ઉકેલ આવે છે.જે તે વિસ્તારમાં જઈને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. જેથી દિવ્યાંગ જનોને મુશ્કેલી ન પડે. મોબાઈલ કોર્ટ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ જનોને નોકરી, પસંદગી મંડળ, બેંક, અનામત નહીં મળવા બાબત તથા જાહેર સરકારી કચેરીમાં દિવ્યાંગ સુવિધા વગેરે બાબતોમાં મોબાઈલ કોર્ટ દ્વારા ન્યાય અપાવાયો છે.જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે દિવ્યાંગજનોની પ્રશ્નોના નિરાકણ માટે પ્રેરણાદાયી પહેલ છે.દિવ્યાંગજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકણ થાય તે દિશામાં મક્કમ પણે કામ થઇ રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે દિવ્યાંગજની યોજનાઓ છેવાડના માનવી સુધી પહોંચે તે દિશામાં પ્રયત્ન થવા જોઇએ.આ મોબાઇલ કોર્ટ થકી દિવ્યાંગજનો પ્રશ્નોને પ્લેટફોર્મ મળનાર છે તેમ જણાવી તેમણે મહેસાણા અને પાટણ જિલ્લાના તમામ દિવ્યાંગજન સહિત આવેલ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.