કડી વિશ્વકર્મા છાત્રાલય ખાતે સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

મહેસાણા
મહેસાણા

કડીના નાનીકડી રોડ ઉપર આવેલ શ્રી વિશ્વકર્મા છાત્રાલય ખાતે ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો હતો. શ્રી કડી તથા ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજનો ઇનામ વિતરણ સમારંભ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી કડી તથા ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજ દ્વારા આયોજિત ઇનામ વિતરણ તથા સ્નેહમિલન કાર્યક્રમ રવિવારે શ્રી વિશ્વકર્મા છાત્રાલય નાનીકડી ખાતે યોજવામાં આવ્યો હતો. ધોરણ 1થી 12, કોલેજ, બીએડ, એમ.એડ, નર્સિંગ, પીએચડી મળીને કુલ 200થી પણ વધારે વિદ્યાર્થીઓને ઇનામ આપીને દાતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ રોહિત છનાલાલ ગજ્જરે કાર્યક્રમને અનુલક્ષી પ્રાસગીક પ્રવચન કર્યું હતું તેમજ દાતાઓનો પરિચય કરાવ્યો હતો. સમાજના પૂર્વ પ્રમુખ ઈશ્વર ગજ્જરે જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકોના પ્રથમ ગુરુ છે અને માતા-પિતાએ બાળકોને સંસ્કાર આપી સિંચન આપવું જોઈએ.


કડીના નાનીકડી રોડ ઉપર આવેલ શ્રી વિશ્વકર્મા છાત્રાલય ખાતે ઇનામ વિતરણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં મુદરડાના વતની અને શિક્ષક કૌશલ્ય સુથારે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, બાળકની કોઈ દિવસ કોઈ અન્ય બાળક સાથે સરખામણી કરવી જોઈએ નહીં. વિશ્વકર્મા વંશજ હોય તેનામાં અનેક પ્રકારના ટેલેન્ટ હોય છે. આપણે ટકા કરતા ટેલેન્ટને વધારે મહત્વ આપવું જોઈએ. તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરકારે 2020માં નવી શિક્ષણનીતિ બનાવી છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ, સમાજના મંત્રી મનુભાઈ ગજ્જર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠા ગજ્જર સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.