વિસનગરના મહેસાણા રોડ પર જાહેર માર્ગ પર મુકેલી કચરા પેટી અદ્રશ્ય થઈ

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં થોડા દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં હરિહર સેવા મંડળ મંદિર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે એના થોડા દિવસ જ માં પરિસ્થિતિ જેસે થે હોય તેમ જોવા મળી હતી. જેમાં મહેસાણા જતા રોડ પર જાહેરમાં કચરાના ઢગ જોવા મળ્યા હતા અને નગરપાલિકા દ્વારા મુકેલી કચરા પેટીઓ પણ અદ્ર્શ્ય થઈ ગઈ હતી. આમ પાલિકાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરેલી સફાઈ ઝુંબેશનો મહેસાણા રોડ પર ફિયાસ્કો થયો હોય તેવું જોવા મળ્યું હતું.


સમગ્ર ભારતમાં સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. ત્યારે વિસનગરમાં પણ નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ હાથ ધર્યું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલે નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને હરિહર સેવા મંડળથી મહેસાણા ચોકડી સુધી સફાઈ કરવા માટે સૂચન કર્યું હતું, પરંતુ સફાઈ ઝુંબેશના થોડા દિવસ પછી કચરાના ઢગ જોવા મળ્યા હતા.જેમાં જાહેર રસ્તા પર કચરાના ઢગ અને ગંદકી પણ જોવા મળી હતી. નગરપાલિકા દ્વારા મુકેલી કચરા પેટી પણ અદ્ર્શ્ય જોવા મળી હતી. જેમાં સફાઈ ઝુંબેશ બાદ પણ કચરાના ઢગ જોવા મળતા સફાઈ અભિયાનનો ફિયાસ્કો થયો હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.