મહેસાણાના બોરીયાવીના યુવકનું વીજ કરંટથી મોત થતા જિલ્લા પંચાયત દ્વારા પરિવારને 4 લાખની સહાયનો ચેક અપર્ણ કરાયો

મહેસાણા
મહેસાણા

બીપોરજોય વાવાઝોડાની અસર હેઠળ મેહસાણા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે મહેસાણાના બોરીઆવી ગામના રાવળ ભરતભાઈ ચંદુભાઈનું વીજ કરંટ લાગવાથી તારીખ 15-4-2023 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા માનવ મૃત્યુ સહાયની દરખાસ્ત જિલ્લા પંચાયતને સાદર કરતા જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પ્રમખ પ્રહલાદભાઈ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ પટેલ તથા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન રેખાબેન રાજુભાઈ ચૌધરી વતી રાજુભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયત પ્રમુખ ભોગીલાલ પટેલ તાલુકા સદસ્ય કાંતિભાઈ તથા તાલુકા વિકાસ અધિકારી દર્શનભાઈ પટેલ તથા બોરીયાવી ગામના તલાટી વહીવટદાર અને ગામના આગેવાનોની હાજરીમાં બોરીયાવી ગામે રાવળ ભરતભાઈના ઘરે જઈને શોક સંદેશો પાઠવીને રૂપિયા ચાર લાખની માનવ મૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા તાત્કાલિક મૃત્યુ સહાય આપી એક સહારો પૂરો પાડવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.