વિસનગરના ઘાઘરેટ ગામે પ્રાકૃતિક ખેતી અંગે શિબિરનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે નાયબ બાગાયત નિયામક મહેસાણા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક ખેતી શિબિરમાં આજુબાજુ ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં ખેડૂતોને વિવિધ રીતે પ્રાકૃતિક ખેતી કરવા અંગે સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટેની ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. જેમાં 100થી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી.નાયબ બાગાયત નિયામક મહેસાણા દ્વારા તાલુકાના ઘાઘરેટ ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શિબિરમાં ઘાઘરેટ, કુવાસણા, ભાલક, દેણપ, પુરાણપુરા, થલોટા, કડા, ગોઠવા તથા આજુબાજુના ગામોમાંથી 120 જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી. જેમાં આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટેની સમજ આપવામાં આવી હતી.


જેમાં ખેડૂતોને પ્રાકૃતિક પાકોની વિગતવાર માહિતી, પ્રાકૃતિક પદ્ધતિ મુજબ જૈવિક કમ્પોસ્ટ ખાતરો અને રોગ જીવાતની દવાઓ, પ્રાકૃતિક ખેતીમાં જીવાણુઓની અગત્યતા, કાર્બન ક્રેડિટથી આર્થિક આવક મેળવી શકે, બાગાયત ખેતીની માહિતી, વિવિધ પ્રવુતિઓનો લાભ મેળવવા, પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડનું વાવેતર કરી વધુ ઉત્પાદન અને મૂલ્ય વૃદ્ધિ તરફ વાળવા અને દાદા લાડની પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં મદદનીશ બાગાયત નિયામક કેતનભાઇ પટેલ, બાગાયત કોલેજ, જગુદણના વૈજ્ઞાનિક મનીષભાઈ શર્મા, મહેસાણા બાગાયત અધિકારી નિખિલ પટેલ, સુશીના સી.ઓ.ઇ.ના બાગાયત અધિકારી વિલાસ પટેલ, નિવૃત નાયબ ખેતી નિયામક અને ભારતીય કિસાન સંઘ વિસનગર તાલુકાના પ્રમુખ ડી.જે. પટેલ, ગ્રામસેવક ઉષાબેન ચૌધરી, આત્માના કનુભાઈ પટેલ, ભા.કિ.સંઘ, વિસનગરના ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભારતીય કિસાન સંઘ કારોબારી સભ્ય ગીરીશભાઈ પટેલ, દેણપના કાનજીભાઈ પટેલ તેમજ ઘાઘરેટ ગામના આગેવાનો તથા પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવનાર ખેડૂતોએ હાજરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.