મહેસાણામાં મકાનનું તાળું તોડી રોકડ સહિત 94 હજારની તસ્કરી

મહેસાણા
મહેસાણા

મહેસાણાના રાધનપુર રોડ પર સી-લિંક પરની પ્રાર્થના પરિસર વિભાગ-1માં રહેતું નિવૃત્ત દંપતી મકાન બંધ કરી રાધનપુર વતનમાં ગયું હતું, તે દરમિયાન તેમના મકાનનું તાળું તોડી તસ્કરો રૂ.85 હજારની રોકડ અને દાગીના મળી રૂ.94 હજારની મત્તા ચોરી ગયા હતા.

પ્રાર્થના પરિસર વિભાગ-1 સોસાયટીમાં રહેતા દુષ્યંતકુમાર રસિકલાલ યાજ્ઞિક પત્ની સાથે નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. ગત 4 જાન્યુઆરીના રોજ તેઓ પત્ની સાથે વતન રાધનપુર ગયા હતા. ત્યાંથી ચાણસ્મા ખાતે સાળાને મળવા ગયા હતા. સોમવારે સવારે તેમના પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજા ખુલ્લા છે. જેને પગલે ચાણસ્માથી મહેસાણા આવી દુષ્યંતભાઈએ ઘરમાં તપાસ કરતાં દરવાજો તૂટેલો હતો અને સામાન વેરવિખેર પડ્યો હતો. લોખંડની તિજોરીનું લોક તોડી તેમાં મૂકેલ રૂ.85 હજાર રોકડ, ચાંદીની ઝાંઝર, હાથમાં પહેરવાની ચાંદીની કડલી, સોનાની ચૂની સહિતના દાગીના મળી રૂ.94 હજારની મત્તા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આથી દુષ્યંતભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.