મહેસાણા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ગત રોજ વન નેશન વન ઈલેકશન યોજના અંતર્ગત શહેરના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં, હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ તેમજ બહેનો સહિત સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઈને રાષ્ટ્ર ગાન ગાઈ દેશભક્તિની ભાવના પ્રગટ કરી હતી. વન નેશન વન ઇલેક્શનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતું. જ્યાં ડૉ. અનિલભાઈ પટેલ દ્વારા વન નેશન વન ઈલેકશન બાબતે વિસ્તૃત માહિતી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કરી વન નેશન વન ઇલેક્શન એ આજના જમાનામાં પાયાગત અને અતિ મહત્વની બાબતે છે તેની વિગતવાર માહિતી આપી લોક જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

