વિજાપુરમાં મામલતદારને મળેલી બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂની આઈટીઆઈ પાસે આવેલી ખાનગી હોટલ નજીક હિંમતનગર હાઈવે રોડ પર આવેલા ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ફ્લોર મિલમાં લઈ જવાતો હતો. મામલતદારની સૂચના મુજબ પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર તથા તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઈરફાન શેખ નામના યુવક પાસેથી 38 હજાર કિલોગ્રામ ચોખા અને 12 હજાર કિલોગ્રામ ઘઉં જપ્ત કરવામાં આવ્યા હતા. નાયબ મામલતદાર પુરવઠાએ આ અનાજના જથ્થાના બિલની માંગણી કરી હતી. પરંતુ યુવક કોઈ બિલ રજૂ કરી શક્યો ન હતો. આ કારણે સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. મામલતદારે જિલ્લા પુરવઠા વિભાગને આ અંગેનો રિપોર્ટ મોકલી આપ્યો છે.

- May 3, 2025
0
277
Less than a minute
You can share this post!
editor