અમદાવાદ-મહેસાણા હાઇવે પર નંદાસણ નજીક પુલ ચડતાં પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ ઉપર મહાકાય ખાડા પડતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતાં ઊંડા ખાડા દેખાતાં ન હોઇ કેટલાય ટુ-વ્હીલર સહિતના વાહન ચાલકો ખાડામાં પટકાય છે. છતાં તંત્ર દ્વારા આવા ખાડા પૂરવામાં કોઈ રસ ન હોય તેમ ઉદાસીનતા દાખવી રહ્યા છે. કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ લેશે? તેવા સવાલ વાહનચાલકો ઉઠાવી રહ્યા છે.
- July 13, 2025
0
629
Less than a minute
You can share this post!
editor

