મુંબઈમાં 24 માળની ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 17 લોકો હોસ્પિટલમાં દાખલ

મુંબઈમાં 24 માળની ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 17 લોકો હોસ્પિટલમાં દાખલ

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસર વિસ્તારમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. ફાયર વિભાગે આ ઇમારતમાંથી 36 લોકોને બચાવ્યા હતા. જેમાંથી 2 લોકોના મોત થયા હતા, જ્યારે 17 અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેકની હાલત સ્થિર છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે દહિસર પૂર્વના શાંતિ નગરમાં ન્યૂ જન કલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. ધીમે ધીમે આગ બિલ્ડિંગના અનેક માળ સુધી ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લેવા માટે ઘણા કલાકો સુધી કામ કર્યું.

બહુમાળી ઇમારત આગની સાથે ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ફાયર ફાઇટર્સને મુશ્કેલી પડી હતી. આગમાં બે લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા સાત ફાયર એન્જિન અને અન્ય ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળે હાજર હતા. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ ઇમારત પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. આગ લાગ્યા પછી, ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી ધુમાડો ફેલાઈ ગયો. આ આગમાં એક નાની છોકરી અને એક વૃદ્ધ મહિલાનું મોત થયું. સ્થાનિક લોકોનો આરોપ છે કે ઇમારતમાં ફાયર સેફ્ટી સાધનો કામ કરતા ન હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *