ડીસાની હિમાલયા સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ભાડાના મકાનમાં રહેતા મધુબેન હરેશભાઈ પરમાર (ઉં.વ. આશરે ૩૨) એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મધુબેન પરમાર તેમના પતિ હરેશભાઈ સાથે ડીસામાં રહેતા હતા. તેમનું પિયર સાંડેસરી ગામે અને સાસરું પાટણના એદલા ગામે છે. મધુબેનના આપઘાતની જાણ થતાં જ તેમના પિયર પક્ષના લોકો ડીસા દોડી આવ્યા હતા.
પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ ગંભીર આરોપ લગાવ્યો છે કે મધુબેને આપઘાત કર્યો નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ આરોપો બાદ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.તેમ પોલીસે જણાવ્યું હતું.

