પ્રયાગરાજ અને કાશી સહિત ૨૧ જિલ્લાનાં અનેક ગામ પાણીમાં

પ્રયાગરાજ અને કાશી સહિત ૨૧ જિલ્લાનાં અનેક ગામ પાણીમાં

૩૪૩ મકાનો ધરાશાયી : ૧૬ લોકોનાં મૃત્‍યુ : ૩૦,૦૦૦ લોકો અસરગ્રસ્‍ત

ઉત્તર પ્રદેશમાં લગાતાર ચોથા દિવસે પણ સતત થોડી-થોડી વારે વરસાદ ચાલુ જ રહ્યો હોવાથી નદીઓ બેફામ બની રહી છે. ૨૧ જિલ્લાનાં ૪૦૨ ગામો પૂરને કારણે વિખૂટાં પડી ગયાં છે. કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્‍કારની લાઇન લાગી કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્‍કારની લાઇન લાગી. પ્રયાગરાજમાં મંદિરો અને મુખ્‍ય ચાર રસ્‍તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. વારાણસીમાં મંગળવારે સાંજે રાજઘાટ પરનો પીપા પુલ પણ વરસાદમાં વહી ગયો હતો. રાજ્‍યમાં કુલ ૩૪૩ મકાનો અચાનક ધરાશાયી થઈ ગયાં હતાં. કાશી અને પ્રયાગરાજમાં કુલ ૩૦,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *