રાજધાની દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે કે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા મનોહર લાલ ખટ્ટર ભારતના ઉપરાષ્ટ્રપતિ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર, ખટ્ટરની લાંબા સમયની સંગઠનાત્મક કુશળતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના નજીકના સંબંધોને કારણે તેમનું નામ આ બંને મહત્વપૂર્ણ પદો માટે ચર્ચામાં છે.
મનોહર લાલ ખટ્ટર, જેઓ હાલમાં કેન્દ્રીય ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ ૨૦૧૪થી ૨૦૨૪, ૧૦ વર્ષ સુધી, હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યમાં પારદર્શક ભરતી નીતિ, બેટી બચાવો-બેટી પઢાવો યોજના અને હરસમય પોર્ટલ જેવી નોંધપાત્ર યોજનાઓ દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, તેમણે કરનાલ બેઠક પરથી કોંગ્રેસના દિવ્યાંશુ બુધિરાજાને ૨.૩૫ લાખ મતોની વિશાળ બહુમતીથી હરાવીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. શ્રી ખટ્ટરે ગયા મહિને એક ઇન્ટરવ્યૂમાં ઉપરાષ્ટ્રપતિ કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના પદ વિશેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું, ‘હું કોઈ પદની પસંદગી નથી કરતો. મને જે પણ જવાબદારી સોંપવામાં આવે, હું તે મુજબ કામ કરું છું.’ આ નિવેદન તેમની નમ્ર અને સમર્પિત રાજકીય શૈલીને દર્શાવે છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં તેમના ૧૭ વર્ષના પ્રચારક તરીકેના અનુભવ અને ભાજપમાં ૨૦૦૦-૨૦૧૪ દરમિયાન હરિયાણાના સંગઠન મહામંત્રી તરીકેની ભૂમિકામાંથી પ્રતિબિંબિત થાય છે.
આ ચર્ચાઓનું કારણ ભાજપના આંતરિક ફેરબદલ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામા પછી રાજકીય ગતિશીલતામાં ફેરફાર ગણાવવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ધનખરના રાજીનામા પાછળ સરકારની નારાજગી હતી, કારણ કે તેમણે વિપક્ષના ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. આ સંદર્ભમાં ખટ્ટરનું નામ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચર્ચામાં આવ્યું છે, જેમાં તેમની આરએસએસની પળષ્ઠભૂમિ અને પાર્ટીના મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા મહત્વની ભૂમિકા ભજવે છે.બીજી તરફ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પણ ખટ્ટરનું નામ ચર્ચામાં છે, કારણ કે પાર્ટી ઉત્તર પ્રદેશમાં પોતાનો આધાર મજબૂત કરવા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મળેલી આંચકા બાદ નવું નેતળત્વ લાવવા માંગે છે. ખટ્ટરની વ્યૂહાત્મક નેતળત્વ કુશળતા અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપની સફળતા માટે તેમનું યોગદાન તેમને આ પદ માટે મજબૂત દાવેદાર બનાવે છે.
જોકે, આ બંને પદો માટેની ચર્ચાઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે, અને અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતળત્વ અને વડાપ્રધાન મોદીના હાથમાં છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ખટ્ટરની સાદગી, સમર્પણ અને આરએસએસ સાથેના ઊંડા જોડાણને કારણે તેઓ આ બંનેમાંથી કોઈ એક પદ માટે યોગ્ય ઉમેદવાર હોઈ શકે છે.

