ખેડૂતો ને પુરતા પ્રમાણમાં યુરિયા ખેતરનો જથ્થો ઉપલબ્ધ ન બનતા પાક નિષ્ફળ જવાની ભીતી પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી ચોમાસું વાવેતર કર્યું છે પરંતુ ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ પાક નિષ્ફળ જવાની ભીતી સાથે ખેડૂતો રોષે ભરાયા છે. પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે સવાર થી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે એક ખેડૂતને ફક્ત પાંચ જેટલી યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતો મા અસંતોષ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરના મળે તો વાવેતર માં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા ખેડૂતો માગ કરી રહ્યા છે.
- September 4, 2025
0
168
Less than a minute
You can share this post!
editor

