મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં ખેતી વિભાગમાં લાઈટના ધાંધીયા

મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં ખેતી વિભાગમાં લાઈટના ધાંધીયા

ઉનાળું સીઝનમાં ખેડૂતોએ મોટાપાયે ઉનાળું બાજરી, મગફળીનું મોટાપાયે ખેડૂતોએ વાવેતર કરેલું હોવાથી ખેડુંતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે લાઈટ આપવામાં આવે છે. પરંતુ બીજી બાજું પુરતો વીજ પાવર મળતો નથી.અને વારંવાર ખેતી વિભાગમાં લાઈટ કાપ મૂકવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરે 1 વાગે થી રાત્રીના 9 વાગ્યા સુધી પુરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી. તો બીજી તરફ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ઉનાળું પાક બાજરી, મગફળીના‌ પાકો બળી રહ્યા છે. તો બીજી બાજુ ખેતીમાં લાઈટના ધાંધીયા ખેડૂતોને ખેતી વિભાગમાં ફુલ પાવર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *