ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે પ્રથમ અકસ્માત થયો હતો. ત્યાર બાદ જીપ ડિવાઈડર કૂદીને સામેથી આવતી અંબાજી-વડોદરા એસટી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર મુસાફરો પૈકી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બે વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સાત ઈજાગ્રસ્તોને પ્રથમ ખેડબ્રહ્મા સિવિલમાં અને ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા દર્દીઓમાંથી પોશીના તાલુકાના ટેબડા ગામના 44 વર્ષીય ઈશ્વરભાઈ ભાડુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે કુલ મૃત્યુઆંક સાત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખેરોજ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- May 5, 2025
0
382
Less than a minute
Tags:
You can share this post!
editor