નાળું ધોવાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો અટવાયા; પાલનપુર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે વિનાશ નોતર્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના વેડંચા અને ભાવિસણાને જોડતા રસ્તા પરનું નાળુ ધોવાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. પાલનપુર તાલુકાના વેડંચા અને ભાવિસણા ગામ વચ્ચે આવેલા નાળાનું ત્રણ માસ અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ કરાયું હતું. જે દિવાલ કરાવી હતી તે દિવાલ તૂટી ગઈ હતી. જેથી વેડંચા- ભાવિસણા રોડ પરથી ચાલતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા. સવારે પશુપાલકો પોતાનું દૂધ ન ભરાવી શક્યા તો મહિલાઓને બાળકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. માર્ગ અને મકાન વિભાગને કારણે ફરી એકવાર આ માર્ગ પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ત્રણ માસમાં બનાવેલ નાળુ તૂટી જતા સ્થાનિકોએ નાળાની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.

- May 5, 2025
0
154
Less than a minute
You can share this post!
editor