આઈપીએલની સિઝનમાં પ્લેઓફમાં જવા માટે ચાર ટીમો કન્ફર્મ; આઈપીએલની 2025 ના પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. લીગ સ્ટેજ 27 મે સુધી ચાલુ રહેશે, પરંતુ તે પહેલા જ નક્કી થઈ ગયું છે કે કઈ છ ટીમો આઈપીએલ માંથી બહાર થશે અને કઈ ચાર ટીમો હવે ટાઇટલ માટે પોતાનો દાવો રજૂ કરશે.
𝙋𝙡𝙖𝙮𝙤𝙛𝙛𝙨 𝙎𝙚𝙘𝙪𝙧𝙚𝙙 🔢
Did your favourite team qualify for the Playoffs? 🤔#TATAIPL pic.twitter.com/LtiXumlWdq
— IndianPremierLeague (@IPL) May 22, 2025
ગુજરાત, બેંગ્લોર, પંજાબ અને મુંબઈની ટીમો આઈપીએલ પ્લેઓફમાં; હવે ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ 2025નો ખિતાબ જીતવાનો દાવો કરશે. પરંતુ આ ત્રણેય ટીમોની અગ્નિપરીક્ષા અહીં સમાપ્ત થતી નથી. હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા ક્રમે રહેવાની પ્રક્રિયા શરૂ થશે. જે આગળ પણ ચાલુ રહેશે. જો આપણે વર્તમાનની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સના 12 મેચ રમ્યા બાદ 18 પોઈન્ટ છે અને ટીમ પ્રથમ સ્થાને છે. આરસીબી અને પંજાબ કિંગ્સના ૧૭ પોઇન્ટ સમાન છે. પરંતુ આ પછી પણ, RCB ટીમ બીજા સ્થાને છે અને પંજાબ ત્રીજા સ્થાને છે. આનું કારણ નેટ રન રેટ છે. RCBનો નેટ રન રેટ પંજાબ કરતા સારો છે. જો આપણે ચોથી ટીમની વાત કરીએ તો મુંબઈની ટીમે ૧૩ મેચ રમ્યા બાદ ૧૬ પોઈન્ટ મેળવ્યા છે.
પહેલા અને બીજા સ્થાન માટે લડાઈ થશે; હવે અહીંથી, ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પાસે બે-બે મેચ બાકી છે, જ્યારે મુંબઈ પાસે ફક્ત એક જ મેચ બાકી છે. એટલે કે જો મુંબઈ તેની મેચ જીતે છે, તો તેની પાસે 18 પોઈન્ટ સુધી પહોંચવાની પણ તક રહેશે. આવી સ્થિતિમાં, આગામી મેચો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને જે ટીમો હવે બહાર થઈ ગઈ છે, તેઓ ટોચની ટીમોની રમત બગાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તે આમાં કેટલી સફળ થાય છે તે તો પછી જ ખબર પડશે.