(જી.એન.એસ) તા. 2
અમદાવાદ,
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ અટકતાં ક્વોલિફાયર-2 મેચ 9:45 વાગ્યે શરૂ થશે. ઓવર્સમાં કોઇ ઘટાડો કરાશે નહીં. બંને ટીમોને રમવા માટે 20-20 ઓવર મળશે.
પંજાબ કિંગ્સ ના કેપ્ટન શ્રેયસ ઐયર (૮૭ નોટ આઉટ, ૪૧ બોલ, ૫ ચોગ્ગા અને ૮ છગ્ગા) સાથે ઉમદા બેટિંગ કરીને IPL 2025 ક્વોલિફાયર ૨ માં પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સ 11 વર્ષના પ્રતીક્ષા પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઇનલમાં પહોંચી ગઈ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો ક્વોલિફાયર-2 મુકાબલો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 203 કરીને પંજાબ કિંગ્સને 204 નો ટાર્ગેટ આપ્યો હતો.
ક્વોલિફાયર 2માં રમેલી ટીમના ખિલાડીઓ ના નામ:-
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી.
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહાલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.


