સ્વિત્ઝર્લેન્ડ સરકારે સ્વિસ બેન્કમાં ભારતીય ખાતેદારોની પહેલી યાદી ભારતને સોંપી દીધી છે. બેન્કર્સ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(CBDT)ના અધિકારીઓનું કહેવું છે કે માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મોટાભાગના ખાતા એવા છે જે કાર્યવાહીના ડરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકારણથી સંબંધિત ખાતાઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે સૂચનાનું સ્વત: આદાન પ્રદાન કરવાના કરાર હેઠળ 1 સપ્ટેમ્બરથી ભારતીયોના સ્વિસ ખાતાઓની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
બેન્કર્સ અને નિયામક અધિકારીઓનું કહેવું છે કે ખાતેદારોની લિસ્ટમાં મોટાભાગના દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો, અમેરિકા, બ્રિટન અને આફ્રિકાના દેશોમાં રહેનારા ભારતીયો અને બિઝનેસમેન છે. બેન્કરોએ સ્વીકાર કર્યું કે એક સમયે ગુપ્ત રહેતા સ્વિસ બેન્કના ખાતાઓ સામે વૈશ્વિક સ્તર પર થયેલા અભિયાન બાદ આ ખાતાઓમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાય ખાતા બંધ થઇ ગયા હતા. 2018માં બંધ કરાયેલા ખાતાઓની જાણકારી પણ મળી છે.