ન્યુઝીલેન્ડમાં થયેલ આતંકી હુમલામાં નવસારી નજીકના અડદાના જુનૈદનું મોત

ક્રાઈસ્ટચર્ચઃ ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી  વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તે માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ છે. જુનૈદ યુસુફ કારા છેલ્લા કેટલાક સમયથી  ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
 
બીજીબાજુ ગુજરાતના ઘણા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યા છે.  ન્યુઝીલેન્ડમાં હુમલામાં આણંદનો 21 વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના  લુવારા ગામનો રહીશ હાફીઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. વડોદરાના પિતા-પુત્ર - આરીફ અને રમીઝ પણ ઘાયલ થયા હોવાનું  જાણવા મળ્યું છે. આ બંને નમાજ પઢવા ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.