કાંકરેજ તાલુકાના કસરા ગામના પિતા પુત્ર ટોટણા અસાલાડી પાસેથી પસાર થતી બનાસ નદીમાં કાંકરેજ તાલુકાના કસરા ગામના પિતા પુત્ર નાહવા પડયા હતા, તેમાં નદીમાં પાણી વધુ હોવાથી પિતા. મહેબૂબ ખાન બહાર નીકળી ગયો હતો અને પુત્ર અલતાફખાન મહેબૂબખાન બલોચ ઉ.વ.20 પાણીના વહેણમાં તાણાયો હતો અને પાણીમાં ડૂબ્યો હતો ત્યારે સ્થાનિક લોકો ભેગા થતા અને સ્થાનિક તરવૈયા પણ આવી જતા પાણીમાં ખુબજ શોધ ખોળ કરી હતી, પરંતુ સાંજ પડી જતા યુવાન મળ્યોના હતો મરણ જનારના પિતા મહેબૂબખાને થરા પોલીસને જાણ કરી અને શિહોરી ખાતે મામલતદાર કચેરીએ જાણ કરી હતી. તેથી તાત્કાલિક કાંકરેજ મામલતદાર એમ.ટી .રાજપુત અને કચેરીથી સર્કલ શ્રી બચુભા સોલંકી અને ના.મામલતદાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના અનુપસિંહજી સોલંકી ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓ દ્વારા શોધ ખોળ કરી અને સઘન શોધ ખોળ બાદ ડુબીજાનાર યુવાન બપોરે મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે તેને પી.એમ.કરાવવાનું કહેતા તેના વાલી વારસોએ પી.એમ.કરાવવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તંત્રએ પી.એમ કરાવવાનું કહેતા મારનારના સઘાઓ દ્વારા ઇનકાર કર્યો હતો ત્યારે બાદ લાસને તેને તેના વાલીવારશોને લાસ સોંપી હતી.