દાંતીવાડા : ધાનેરા તાલુકાના રૂણી ગામના યુવાનની માં અંબા પ્રત્યેની અનોખી અને કઠિનાઈઓથી ભરપૂર આસ્થા દાંતીવાડા રોડ પર જોવા મળી, માં અંબાના આ ભક્તની આસ્થા કેટલાય કિલ્લોમીટર અને દિવસો બાદ પુરી થશે અને તે યુવાન માં અંબાના મંદિર એટલેકે અંબાજી પહોંચી માં ના ચરણોમાં મસ્તક ઝુકાવશે.
ધાનેરા તાલુકાના રૂણી ગામના વતની પ્રજાપતિ બાબુભાઇ જેહાજી જેઓ ઉંમરે ૫૦ વર્ષના છે અને તેઓ પોતાની જનેતા એટલેકે પોતાની માતા ચંપાબેનના ચરણ સ્પર્શ કરી તારીખ ૩૧/૮ના રાત્રે ૧૦ વાગ્યાના સમયે પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા પોતાના શરીરને રોડ રસ્તાઓ ઉપર રાગડાવી રાગડાવીને નીકળ્યા છે જેઓ ગત રોજ સાંજના ૫ વાગ્યાના સમયે દાંતીવાડા આવી પહોંચ્યા હતા. તેઓ અગાઉ પણ આવીજ રીતે જમીન પર રગડી ૮૨ દિવસે રણુજા રામાપીરના દર્શન કરીને આવ્યા હતા, બાબુભાઈની આ કઠિન અને કઠોર આસ્થા જોઈ લોકો પણ અચરત પામી રહ્યા છે અને લોકોને જેમ જેમ ખબર મળે છે તેમ તેમ લોકો પણ તેમને જોવા પહોંચી રહ્યા છે.