ડીસાની આદર્શ હાઇસ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર માર્યો હોવાના આક્ષેપ, વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો હતો

બનાસકાંઠાના ડીસામાં આદર્સ હાઇસ્કુલમાં વિદ્યાર્થીને માર માર્યો  હોવાની ઘટના સામે આવી છે. ધોરણ ૧૧માં ભણતા કેતુલ સોલંકીને આચાર્ય મારમાર્યો  હોવાના આક્ષેપ કર્યા છે.
 
ડીસાના આદર્સ હાઇસ્કુલમાં ભણતા કેતુલ સોલંકીના ક્લાસમાં એક વિદ્યાર્થી કેતુલને દરોજ ચિડાવતા હતો જેથી આજે તે ચિડાવતો હતો ત્યારે કેતુલે તેને મગજ નથી તેવું કહેતા બે વચ્ચે સામાન્ય બોલા ચાલી થતા સમગ્ર મામલો શિક્ષક સુધી પહોંચતા શિક્ષકે કેતુલને માફી પત્ર લખવાનું કહેતા તેને ન લખતા શિક્ષક  કેતુલને આચાર્ય પાસે લઈ ગયા હતા. ત્યારે આચાર્યએ કેતુલને માર માર્યા હોવાનો આક્ષેપો કર્યાં હતાં અને વિદ્યાર્થીને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયો હતો.
 
આચાર્ય નટુભાઈ જોશી પર વિદ્યાર્થીને મારમાર્યો હોવાના આક્ષેપ થતાં તેમણે વિદ્યાર્થીને માર્યો નથી તેવું જણાવ્યુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.