વિશ્વ વિનાશકની ઘટનાની રખેવાળે ૩ મહિના અગાઉ આગાહી કરી હતી.

એક રાશિમાં સાત ગ્રહોની યુતિ વિનાશક યોગનું સર્જન કરતી હોવાની આગાહી કરી હતી
 
સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ રૂપી રાક્ષસે હાહાકાર મચાવી દીધો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો આ રોગમાં સપડાઈ રહ્યા છે ને મોતને ભેટી રહ્યા છે. ભારત સહીત આખું વિશ્વ આ મહામારીને લઇ ચિંતાગ્રસ્ત છે. ત્યારે વિશ્વ વિનાશક મહામારી વિષે  જ્યોતિષશાસ્ત્ર અને ખગોળીય ઘટનાના આધારે 
ત્રણ મહિના અગાઉ રખેવાળ દૈનિકે આગાહી પ્રસિદ્ધ કરી હતી . જેમાં જણાવ્યું હતું કે એક રાશિમાં સાત ગ્રહોની યુતિ વિનાશક યોગનું સર્જન કરે છે જે સમગ્ર વિશ્વ માટે ખુબ જ પીડાદાયક અને દુઃખદાયક હશે.
 
રખેવાળ દૈનિકમાં જ્યોતિષશાસ્ત્રને લગતા અહેવાલો લખતા જગાણાના જ્યોતિષશાસ્ત્રી કનુભાઈ દવેએ ગત ડીસેમ્બર ૨૦૧૯માં આ ખગોળીય ઘટના વિષે લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તા.૨૬ ડીસેમ્બરના રોજ ધન રાશિમાં થયેલા ખંડગ્રાસ સૂર્યગ્રહણના કારણે ઘણા લાંબા વર્ષો બાદ યુતિ સર્જાઈ છે. ધન રાશિમાં સાત ગ્રહોની યુતિ વિષ યોગ, ચંડાળ યોગ તથા સૂર્ય ચંદ્ર કેતુ શનિ અને ગુરુ વિનાશક યોગનું સર્જન કરતી યુતિ છે. આ યુતિના કારણે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું અને સામુહિક વિનાશકની ઘટનાઓનું સર્જન થાય. તે જોતા અત્યારે આ આગાહી સાચી પુરવાર થઇ રહી છે. આ ઉપરાંત વિવિધ પંચાગમાં પણ આવી મહામારીની આગાહી થઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.