બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં સૌથી વધુ વાવેતર થાય છે. ખેતી ક્ષેત્રમાં સમૃદ્ધ ગણાતા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં બાજરી, મગફળી સહિતના અન્ય પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ પખવાડીયામાં ૧૪ મી માર્ચ સુધી ર૬૮ર૪ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે અને સમગ્ર જિલ્લામાં હજુ વાવણીનો દોર ચાલુ છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતીના પાક માટે બોરવેલ તથા અન્ય સ્તોત્ર દ્વારા સિંચાઈ કરી પિયત કરવામાં આવી રહ્યું છે પણ આ વખતે જિલ્લામાં થયેલા ઓછા વરસાદના કારણે પાણીની તંગી જાવા મળી રહી છે. જેથી પાણીના અભાવે ઉનાળુ વાવેતર ઘટવાની શકયતાઓ જાવા મળી રહી છે.ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી ઓછું વાવેતર થયાનો અંદાજ છે.