અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક વહેલી સવારે એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં 2 મહિલાઓના મોત થયા છે અને 11 લોકો ગંભીર છે. ઇકો, વેગેનાર અને એસન્ટ કાર ત્રણેય વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં 11 લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ત્યાં ચંદુભાઇ છગનભાઇ ચૌહાણ (54), પ્રતિકભાઇ કનુભાઇ ચૌહાણ (28), કિરણભાઇ કનુભાઇ ચૌહાણ (24), વસરામભાઇ ધોરાભાઇ જોગરાણા (48), જસુબેન જેનસિંગભાઇ જોગરાણા (55), વિઠ્ઠલભાઇ ધોરાભાઇ જોગરાણા (35)