રાધનપુર : રાધનપુરમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે સરહદી વિસ્તારની સૌથી અત્યાધુનિક રેફરલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે,પરંતુ નિર્માણ સમયે આડેધડ કામગીરી કરવામાં આવી હોવાથી આજે જયારે પણ વરસાદ આવે છે ત્યારે રેફરલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી હોસ્પિટલમાં દૂર-દૂરથી સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બની જવા પામે છે.દર્દીઓને કાં તો ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા પડે છે કાં રીક્ષા કરીને લઇ જવા પડે છે.રેફરલ હોસ્પિટલ બની ત્યારથી આ સમસ્યાથી લોકો,દર્દીઓ અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ પીડાય છે પરંતુ આ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી.વરસાદ પડ્યા બાદ દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે. તંત્ર દવારા આ સમસ્યાનો ઝડપથી નિકાલ થાય તેવી લોકમાંગ છે.