મેઘરજના ગોંધાવાડામાં દિપડો ત્રાટક્યો : ચાર બકરાંનું મારણ

અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બેડજ પંથકમાં ખૂંખાર દીપડો દેખા દેતા વારંવાર મેઘરાજ પંથકના પ્રજાજનોએ દીપડાને પાંજરે પુરવા વનવિભાગ તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં પાંજરે પુરવામાં મુનાસીબ નહિ માનતા માલપુર અને મેઘરજ તાલુકાના અંતિરીયાળ વિસ્તારોમાં જંગલી જાનવરોનો હુમલો યથાવત જોવા મળી રહ્યો છે. મેઘરજ તાલુકાના ગોંધાવાડા ગામે ચાર બકરીઓનું જંગલી જાનવરે  મારણ કરતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું.
ગોંધવાડા ગામના અસારી નરસિંહભાઇ જેવાભાઇના ઘરે વહેલી સવારના અરસામાં જંગલી જાનવરે વાડામાં બાંધેલા બે બકરાને ફાડી ખાધા છે. વહેલી સવારે જ્યારે નરસિંહભાઇના પત્નીએ જ્યારે નરસિંહભાઇના પત્નીએ વાડામાં જોયુ તો બકરા મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જાણકારોનું માનીએ તો દીપડાએ બકરીઓનું મારણ કર્યુ હોય તેવુ જણાય છે. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં માલધારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર મામલાથી વન વિભાગ અજાણ હોય તેવુ લાગી રહ્યું છે.  દસ દિવસ અગાઉ માલપુરના મેવડામાં આવી જ ઘટનામાં ઘર આગળ બાંધેલ તબેલામાંથી વાછરડાનું મારણ કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.