આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયા આજે અરવલ્લી જિલ્લામાં હતા.પ્રવીણ તોગડીયાએ શામળાજી ખાતે તેમને એક બેસણાના કાર્યક્રમમાં હાજરી આપી હતી॰ તે સમયે રામ મંદિર અંગે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે જો સરકાર રામ મંદિર નહીં બનાવે તો હિંદુઓ જાતેજ તેમને સત્તા પરથી દૂર કરશે જ્યારે હાલ નવરાત્રીનો શક્તિની આરાધનાનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શક્તિની આરાધના હિંદુઓ જ કરે છે અને હિંદુઓ એજ શક્તિ બતાવશે તેવું વિવાસ્પદ નિવેદન કરતાં ખળભળાટ વ્યાપી ગયો છે.