૬ વર્ષની બાળકીને અંધારામાં લઇ જઇ ૫૪ વર્ષના નરાધમે છેડતી કરી

બામોસણા ગામના પાદરે શનિવારે સાંજે ૭-૪૫ વાગે રમી રહેલી ૬ વર્ષની બાળકીને ૨૦ રૂપિયા અને ચોકલેટ આપવાનું કહીને લઇ ગયેલા ગામના જ ૫૪ વર્ષના નરાધમે છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બાળકીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હતી. 
 
બાળકીએ પૂછપરછ દરમિયાન પિતા સમક્ષ ચોંકાવનારી વાત કરી હતી. તેણે કહ્યું કે, હું ગામના પાદરે રમતી હતી તે વખતે દાદા મારી પાસે આવેલા અને મને કહેલ કે, તું મારી સાથે ચાલ હું તને ૨૦ રૂપિયા અને ચોકલેટ આપીશ. જેથી હું તેમની સાથે ગયેલી. તેઓ મને વાડમાં અંધારામાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી છેડતી કરતાં જ રડવા લાગી હતી. જેથી દાદા મને ગુરુ મહારાજના મંદિરે લઇ ગયેલા. તે સમયે બાઇક પર જઇ રહેલા કાકાના દાદાએ ઉભા રાખી તેમને કહેલ કે, આ છોકરી રડે છે હું તેને ઓળખતો નથી. જો તમે તેને ઓળખતા હોવ તો તેને ઘરે લઇ જાઓ. આ બનાવને પગલે ભાગી પડેલો યુવાન તેના મિત્ર અને પુત્રી સાથે ડાહ્યાભાઇ ચૌધરીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બાળકી તેને ઓળખી જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બાળકીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ૫૪ વર્ષના ડાહ્યાભાઇ રેવાભાઇ ચૌધરી સામે છેડતી, પોક્સો, અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.