ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ; અકસ્માતમાં 5 મુસાફરનાં મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ; અકસ્માતમાં 5 મુસાફરનાં મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો છે. સવારે ગંગાનાઈ નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે. હેલિકોપ્ટરના કાટમાળના ફોટા પણ સામે આવ્યા છે. આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે અને તે ગંગોત્રી તરફ જઈ રહ્યું હતું. સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. ઉત્તરકાશી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. ગંગોત્રી ધામ તરફ જઈ રહેલ એરો ટ્રાન્સ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માત ગંગાનાઈથી આગળ, નાગ મંદિરની નીચે, ભાગીરથી નદી પાસે બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટર ગંગોત્રી ધામની યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *