બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને ઉકળાટ અને બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે વાતાવરણમાં આકસ્મિક પલટાને લઇ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દાંતીવાડા પાંથાવાડા પંથકમાં રવિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો.રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા પાંથાવાડા, દાંતીવાડા, ગુંદરી, વાછોલ, ભિલડામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ વરસાદને લઈ વારંવાર વીજળી ગુલ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોએ વરસાદના કારણે બાજરીના પાકને નુકશાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.
- June 16, 2025
0
429
Less than a minute
You can share this post!
editor

