સૂત્રોએ ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે, પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ જેને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. તેની સુરક્ષામાં લગભગ ચાર ગણો વધારો કર્યો છે, પહેલગામ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વધેલા સુરક્ષા કવચમાં પાકિસ્તાન સશસ્ત્ર દળોના સશસ્ત્ર કર્મચારીઓની 24×7 તૈનાતનો સમાવેશ થાય છે, જેમાં લાહોરમાં સઈદના જાણીતા નિવાસસ્થાનની આસપાસ વ્યાપક દેખરેખના પગલાં લેવામાં આવ્યા છે.
લાહોરના ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તાર, મોહલ્લા જોહર ટાઉનમાં સ્થિત હાફિઝ સઈદનું ઘર 22 એપ્રિલના હુમલા પછી સઘન સુરક્ષા જાળ હેઠળ આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સેના, ISI અને લશ્કરના કાર્યકરો સંયુક્ત રીતે તેના રક્ષણની દેખરેખ રાખી રહ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે કમ્પાઉન્ડ પર નજર રાખવા માટે ડ્રોન દેખરેખ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 4 કિલોમીટરની ત્રિજ્યામાં રસ્તાઓ પર હાઇ રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

